પાકિસ્તાનના કબજામાં ગયેલા કાશ્મીરી પ્રદેશનું 8,611 મીટર ઊંચું k2 તેની ઉભી કરાડોને લીધે તેમજ ખરાબ હવામાનને કારણે પર્વતારોહકો માટે સૌથી જોખમી અને જાનલેવા નીવડ્યું છે. રેશિઓ 4:1નો રહ્યો છે- અર્થાત 4 જણા જાલિમ પર્વત કહેવાતા k2ની ટોચે સફળતાપૂર્વક પહોંચે તો એ કામિયાબી સામે 1નું યાને કે પાંચમાનું મૃત્યુ નિપજયાનો દર નોંધાયો છે. ઊંચાઇમાં 237 મીટર ચડિયાતો એવરેસ્ટ મેં, 1953માં સર થયો, જયારે k2નું પહેલું સફર આરોહણ ત્યાર પછીના વર્ષે 19954માં શક્ય બન્યું. જાનહાનિના રેશીઓને જુદા પરિપેક્ષમાં મુકો તો નેપાળનો 8,091 નો અન્નપૂર્ણા પર્વત k2ને આંટી જાય છે. સફર આરોહણને બદલે 'સફળ પુનરાગમન' મુજબ જોતા અન્નપૂર્ણાના સરેરાશ 100 પૈકી 34 આરોહકો પાછા ફરતા નથી.પહાડમાં જ ખપી જાય હોય છે. આની સરખામણીએ k2નો આંક 29 છે.
Comments
Post a Comment