સપ્ટેમ્બર ૧૫, ૧૮૯૧ના રોજ ત્રાવણકોર રાજ્યમાં થીરુવનન્તપુરમ ખાતે જન્મેલા ચેમ્પકારમાન પિલ્લાઇ નામના ક્રાંતિકારીએ દેશને 'જય હિન્દ'નું સ્લોગન આપ્યું હતું. પિલ્લાઇનું ત્રાવણકોર એકાદ સદી થયે અંગ્રેજોના તાબા હેઠળ હતું અને ગુલામીની એ સ્થિતિ બદલાવાના એંધાણ દેખાતા ન હતા. પિલ્લાઇએ ત્રાવણકોરની પ્રજામાં દેશદાઝનો અગ્નિ પ્રગટાવવા 'જય હિન્દ' સુત્રનો પ્રચાર કર્યો. સગાં-સંબંધીઓ જોડે તેમજ મિત્રો જોડે જયારે પણ મુલાકાત થાય ત્યારે અને મુલાકાત બાદ છુટા પડતી વખતે તેઓ અચૂકપણે 'જય હિન્દ' બોલતા હતા. પિલ્લાઈની એ ટેવનો ચેપ તેમના સગાં-મિત્રોને લાગ્યો અને સરવાળે આખા દેશમાં ફેલાયો. ઘણા વર્ષ પછી આઝાદ ભારતના ટપાલખાતાએ તેની પહેલી રંગીન સ્ટેમ્પ 'જય હિન્દ'ના શબ્દો સાથે છાપી.

Comments
Post a Comment